×
બિસ્મિલ્લાહિર્રહમાનીર્રહીમ મીલાદુન્નબીનું સ્થાન શરીઅત ની નજરે અલ્હમ્દુલિલ્લાહીકફા વ સલામુન અલા ઈબાદિહિલ્લઝીનસ્તફા અમ્મા બઅદ રબીઉલ અવ્વલનો મહિનો એ મહિનો છે જેમા આકાએ નામદાર, તાજદારે મદિનહ અહમદે મુજતબા, મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વ સલ્લમનું જન્મ થયો, એ હીસાબે ચોક્કસ આ મહિનો ઘણો જ ખુશિઓનો મહિનો છે, પણ આજ મહિનામાં આપ સલ્લલ્લાહુ અલૈહી વ સલ્લમનું અવસાન થયું. જે હીસાબે આ મહિનો એક રીતે ગમ અને શોકનો મહિનો પણ છે. જેથી કરી આપણે આપણી ધારણા અને મરજીથી કંઈ કરવાને બદલે કુરઆન, હદિસ અને સહાબાઓ (રઝીયલ્લાહુ અન્હુમ)ના અમલના પ્રકાશમાં જોવું જોઈએ કે, આ મહિનામાં જે ઘણા ખરા મુસલમાનો ઈદે મિલાદુન્નબી તેમજ બારમી વફાત મનાવે છે તો તેનું શરીઅત ની અંદર શું સ્થાન છે? જો શરીઅતની અંદર તેની સાબિતી પુરવાર થાય તો અવશ્ય મનાવવું જોઇએ. પણ જો કિતાબ (કુરઆન) અને સુન્નત (હદીષ) તેમજ સહાબહ (રઝીયલ્લાહુ અન્હુમ)ના અમલ દ્વારા તેની સાબિતી ન મળતી હોય તો પછી કંઈપણ શંકા- કુશંકા રાખ્યા વગર તેને છોડી દેવું જોઈએ. આ વિષય પર નિષ્પક્ષ વાંચન કરવા માંગતા લોકો માટે ડૉ. ફઝલુર રહમાન મદની સાહેબની આ નાનકડી ..પુસ્તિકા ઘણી મદદરુપ સાબિત થશે